હરિદ્વારમાં ચાર ધામ યાત્રાના રજીસ્ટ્રેશન સેન્ટર પર 12 વાગ્યા પહેલા જ 3000 ભક્તોના રજીસ્ટ્રેશનનો સ્લોટ પૂરો: મુસાફરોને શાંત કરવા માટે પોલીસને સ્થળ પર આવવું પડ્યું
ચારધામ યાત્રા ટ્રાન્ઝિટ કેમ્પ ખાતેના કાઉન્ટર પર ઓફલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. હરિદ્વારમાં ચાર ધામ યાત્રાના રજીસ્ટ્રેશન સેન્ટર પર 12 વાગ્યા પહેલા સ્લોટ પૂરો થતાં જ સવારથી ઉભેલા યાત્રિકોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળો એટલો વધી ગયો હતો કે મુસાફરોને શાંત કરવા માટે પોલીસને સ્થળ પર આવવું પડ્યું હતું.
રાજ્ય સરકારે ઋષિકેશ અને હરિદ્વારમાં ચારધામ યાત્રા માટે ઑફલાઇન રજિસ્ટ્રેશન ખોલ્યું છે. એક દિવસમાં 3000 ભક્તોનું ઓફલાઈન રજીસ્ટ્રેશન થઈ શકે છે જે 12 વાગ્યા પહેલા જ થઇ ચુક્યું હતું.
ધામોમાં વધતી ભીડને કારણે પ્રશાસને 13 મેના રોજ ટ્રાન્ઝિટ કેમ્પમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ પછી, 15-16 મેના રોજ નોંધણી પર પ્રતિબંધ ચાલુ રહ્યો. બાદમાં આ તારીખ લંબાવીને 19મી અને પછી 31મી મે કરવામાં આવી હતી. જેના કારણે ઋષિકેશના ટ્રાન્ઝિટ કેમ્પમાં રજીસ્ટ્રેશન માટે યાત્રાળુઓને 12-12 દિવસ રાહ જોવી પડી હતી. અનેક યાત્રાળુઓ પોતાના ઘરે પરત ફર્યા હતા.
વહીવટીતંત્રે 23 મેથી કામચલાઉ નોંધણીની વ્યવસ્થા કરી છે. કામચલાઉ નોંધણી માટેનો ક્વોટા હાલમાં 1,000 થી વધારીને 4,500 કરવામાં આવ્યો છે. શુક્રવારે પણ યાત્રાળુઓ પાસેથી કામચલાઉ નોંધણી ફોર્મ લેવામાં આવ્યા હતા. બીજી તરફ ચાર ધામ યાત્રા એડમિનિસ્ટ્રેશનના ઓએસડી નરેન્દ્ર સિંહ ક્વિરિયાલે જણાવ્યું હતું કે શનિવારથી ચાર ધામ યાત્રા પર જનારા યાત્રિકોનું ઓફલાઈન રજીસ્ટ્રેશન ટ્રાન્ઝિટ કેમ્પમાં કાઉન્ટર પર કરવામાં આવશે.
શરૂઆતમાં, ઋષિકેશમાં 1000 અને હરિદ્વારમાં 500 ભક્તોની ઑફલાઇન નોંધણી કરવામાં આવી હતી. પરંતુ ધામોમાં ભક્તોની ભીડને કારણે સરકારે ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. મોરેટોરિયમ સમયગાળો 31 મે સુધી લંબાવવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech