પીઢ ચિત્રકાર વાસુદેવ કામથ દ્વારા બનાવેલ ચિત્ર રામલલાની પ્રતિમા માટે સ્વીકારવામાં આવ્યું હતું. આ તસવીરને આધાર તરીકે લઈને સાત મહિના પહેલા સત્યનારાયણ પાંડેએ મકરાણાના ખડકમાંથી રામલલાની પ્રતિમા અને કર્ણાટકની શ્યામ શિલામાંથી અરુણ યોગીરાજ અને ગણેશ ભટ્ટે મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું હતું. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સમગ્ર બાંધકામ પ્રક્રિયા સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવી હતી.
નવનિર્મિત મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એક જ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, પરંતુ ત્રણ પ્રતિમાઓ બનાવવામાં આવી છે અને જે શ્રેષ્ઠ હશે તેને રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવશે. આ નક્કી કરવું સરળ નહીં હોય.
ત્રણેય પ્રતિમાઓ અત્યંત કુશળ અને પ્રતિષ્ઠિત કારીગરો દ્વારા સખત મહેનત, સમર્પણ અને એકાગ્રતા સાથે કોતરવામાં આવી છે. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કારીગરો સાથે મળીને અનેક તબક્કાના પરીક્ષણો હાથ ધર્યા હતા અને પથ્થરોની પસંદગીમાં અત્યંત કાળજી અને સાવધાની રાખી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રીનો આભાર વ્યકત કરતા સાંસદ પૂનમબેન માડમ
September 20, 2024 11:13 AMકોલકાતામાં ડોક્ટરોની હડતાલ ખતમ, વિરોધ પ્રદર્શન ચાલુ
September 20, 2024 11:13 AMસલાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ
September 20, 2024 11:10 AMનકલી કોર્ટમાં નકલી કેસ દાખલ કરી 59 લાખ રૂપિયાની છેતરપિંડી કરી
September 20, 2024 11:06 AMનકલી કોર્ટમાં નકલી કેસ દાખલ કરી 59 લાખ પિયાની છેતરપિંડી કરી
September 20, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech