રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં સી વિંગમાં 603 નંબરના કિશોર ભાલાળાના ફ્લેટમાં આજે સવારે 10.30 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. જે છઠ્ઠા અને પાંચમાં માળ સુધી પ્રસરી હતી. આથી ફ્લેટોમાં રહેતા લોકો જીવ બચાવવા માટે વોશરૂમ અને રૂમોની અંદર ફસાઇ ગયા હતા. રાજકોટ ફાયર બ્રિગેડને જાણ થતા સ્ટાફ દોડી ગયો હતો. આગના કારણે બિલ્ડિંગમાં જીવ બચાવવા લોકો કરગરી રહ્યા હતા. આથી ફાયર બ્રિગેડે હાઇડ્રોલિક લિફ્ટ દ્વારા લોકોને નીચે ઉતારવાનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ આ બિલ્ડિંગમાં રહે છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયાનું પોલીસ જણાવી રહી છે.
ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર અમારી પાસે કે કેઝ્યુઆલિટીનો રિપોર્ટ આવ્યો નથી. ચાર ફાયર ફાઇટર, એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ચાર એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જ્યારે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ત્રણ લોકોના મોત થયા છે. કિશોરભાઈ ભાલાળા પરિવાર ની માલિકીનો ફ્લેટ હતો.
મિસ્ત્રી કામ ફર્નિચરનું કામ ચાલુ હતું. ત્યાંથી આગ લાગી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ આગમાં ત્રણ લોકોના મોત થયા છે તેવું રાજકોટના એસીપી બી.જે. ચૌધરીએ જણાવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ ઘટનામાં 5થી 6 લોકો દાઝી ગયા છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે 50થી વધારે લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હાલ બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે.
ઘટનાસ્થળે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા, ડીસીપી ઝોન 2, ધારાસભ્યા રમેશ ટીલાળા, દર્શિતા શાહ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, કલેક્ટર પણ દોડી આવ્યા હતા.
અજાણ્યો પુરુષ (30) આજે સવારના 10 વાગ્યે પોતે બિગ બજાર સામે એટ્લાન્ટિસ હાઇટસમાં હતા ત્યારે કોઈ કારણસર આગ લાગતા પહેરેલ કપડે આખા શરીરે દાઝી જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે 14 માર્ચના 10.54 વાગ્યે મૃત્યુ પામ્યાનું જાહેર કર્યુ છે. માલવીયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મૃતકના ખિસ્સામાંથી કલ્પેશ લેઉવા અને મયુર લેઉવાના આધાર પુરાવા મળ્યા છે. તો કવિતાબેન નામની મહિલા બર્ન્સ વોર્ડમાં દાખલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનના દાવા પોકળ, BLA એ કહ્યું- યુદ્ધ પૂરું થયું નથી, અમે પાક.ના 100થી વધુ સૈનિકો ઠાર કર્યા
March 14, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech