ઉછીના આપેલા બે લાખ પરત આપવા બોલાવી પિતા-પુત્ર સહિત ૩નો ૨યુવાન પર પથ્થરમારો

  • August 12, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા યુવાને મિત્રતાના નાતે ઉછીના આપેલા બે લાખની ઉઘરાણી કરતા તેને ઘોઘા સર્કલ પૈસા લેવા માટે બોલાવતા યુવાન તેના મિત્ર સાથે ગયો હતો ત્યારે પિતા-પુત્ર સહિત ૩ શખ્સોએ માર મારી પથ્થરમારો કરતા યુવાન અને તેના મિત્રને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આગળથી યુવાને ફરિયાદ નોંધાવતા ઘોઘા રોડ પોલીસે તપાસ હાથ ધરી હતી.


શહેરના કાળીયાબીડ વિસ્તારના પટેલ પાર્કમાં રહેતા અને અલંગના ભંગારનો વ્યવસાય કરતા શિવાંગભાઈ હરેશભાઇ માંડલિયા(ઉ. વ. ૨૮)એ ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે વિનીત મોહનભાઇ જાંબા નામના શખ્સ સાથે બે વર્ષથી મિત્રતા હોય તેને ઉછીના આપેલા બે લાખની ઉઘરાણી કરતા ગત રાત્રીના વિનીતના મિત્ર યશરાજસિંહ ગોહિલે પોતાને પૈસા લેવા માટે પ્રથમ પાણીની ટાંકી અને ત્યાંથી ઘોઘા સર્કલ યુનિયન બેન્ક વાળા ખાંચામાં બોલાવતા પોતે અને મિત્ર પારસ ચાવડા સ્કૂટર લઈને ઘોઘા સર્કલ ગયા ત્યારે યશરાજ ગોહિલ, વિનીત જાંબા અને મોહન જાંબાએ પોતાને માર મારી પાછળથી કોઈએ પથ્થરમારો કરતા પોતાને માથાના ભાગે અને પારસ ચાવડાને કપાળના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ અંગે ઘોઘા રોડ પોલીસે પિતા-પુત્ર સહિત ૩ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application