ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ફરીથી વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટીમાં 27 સે.મી.નો વધારો થયો છે. મહત્વનું છે કે ઉપરવાસમાંથી પાણીની આવક પણ વધી છે.
વિગતવાર વાત કરીએ તો નર્મદા ડેમની જળ સપાટી 135.30 મીટર પર પહોંચી ગઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાંથી 2,65,748 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
નર્મદા ડેમના 15 ગેટ ખોલાયા
નર્મદા ડેમના 15 ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા 1.65 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ગેટમાંથી 1,75,000 ક્યુશેક પાણીની જાવક હાલ થઈ રહી છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 36,975 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 23,081ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમમાંથી નદીમાં કુલ - 2,11,975 ક્યુસેક પાણીની જાવક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech