જેતપૂરમાં બે ટેકસટાઈલ કારખાનાઓમાં ૨૬ બાળમજૂરોને મુકત કરાવાયા

  • December 08, 2023 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઔદ્યોગિક શહેર જેતપુરના કેટલાક સાડીના  કારખાનેદારો, ઠેકેદારો પરપ્રાંતીય બાળકો પાસે સખત મજુરી કરાવતા હોવાની બાતમીને આધારે સમાજ સુરક્ષા વિભાગને જુદીજુદી શાખાઓને સાથે રાખી બે કારખાનાઓ પર છાપો મારી ૨૬ જેટલા બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતાં.
 ઔદ્યોગિક શહેર જેતપુરમાં કેટલાક કારખાનાઓના ઠેકેદારો યુપી, બિહાર ઝારખંડથી બાળકો લાવી અને અહીં મહિનામાં માત્ર બે દિવસની રજા આપી સવારથી રાત સુધી સખત મજુરી કરાવી બાળકોનું શોષણ કરે છે. આ મુજબની બાતમીને આધારે શ્રમ વિભાગે બાળ સુરક્ષાને લગતી જુદીજુદી ટીમોને સાથે રાખીને શહેરના ચાંપરાજપુર રોડ વિસ્તારમાં છાપો માર્યો હતો. જેમાં બે જુદાજુદા કારખાનાઓમાંથી ૨૬ જેટલા બાળમજૂરો મળી આવ્યા હતાં. આ બાળ મજૂરોના આધારકાર્ડ તપાસી તેઓની ઉંમરની ખરાઈ કર્યા બાદ તેઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતાં. જેમાં ઠેકેદારો પંદર થી અઢાર કલાક સખત મજૂરી  કરાવતા હોવાની બાતમી ખરી નીકળી હતી. 
 જેથી શ્રમ વિભાગ દ્વારા બંને યુનિટોના ઠેકેદારો વિશાલ રામુપ્રસાદ પાસવાન અને જીઉત રાજભાર સામે બાળમજૂર પ્રતિબંધ ધારા હેઠળ ફરીયાદ નોધાવી બાળકોને રાજકોટ ખાતે બાલાશ્રમમાં લઇ જવાની તજવીજ  હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application