ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા રપ૧ કુપોષિત બાળકોને દત્તક લેવાયા: રકતદાન કેમ્પ યોજાયો

  • January 16, 2023 11:14 PM 

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જન્મદિવસ નિમિત્તે પટેલ સમાજ ખાતે રવિવારે ૨૫૧ કુપોષિત બાળકોને એક વર્ષ માટે દત્તક લેવાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.

​​​​​​​રકતદાન કેમ્પમાં ૩૬૫ લોકોએ બ્લડ આપ્યું હતું. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય રીવાબા જાડેજા, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજપના શહેર પ્રમુખ ડૉ.વિમલ કગથરા, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા, સ્ટે કમિટિ ચેરમેન મનિષ કટારિયા, ગોપાલભાઈ સોરઠિયા તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ, વેપારીઓ, સામાજિક સંસ્થાના વડાઓ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં અને ધારાસભ્યને શુભેચ્છા પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application