જૂનાગઢ મનપા દ્વારા ૧૭ મિલકતોને સીલ બાકીદારો પાસેી ૨૩ લાખની વસુલાત

  • March 21, 2024 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો બાકી હોય તેવા આસામીઓ સામે લાલ આંખ કરી હોય તેમ એક સપ્તાહથી મિલકત સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે ગાયત્રીનગર, મહેશ નગર, મોતીબાગ રોડ, રાયજી બાગ શોપિંગ સેન્ટર , દીપાંજલિ ૨,આંબાવાડી જોષીપરા સહિતના વિસ્તારોમાં કુલ ૨૭ મિલકતોને સીલ કરવામાં આવી હતી. 
કમિશનર ડો ઓમ પ્રકાશના આદેશ નીચે નાયબ કમિશનર ઝાપડા ના નિદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ કલ્પેશ ટોલીયા, હાઉસ ટેક્સ સુપ્રીડન્ટ વિરલ જોશીના માર્ગદર્શન હેઠળ દોલત પરા ઝોનલ ઓફિસર કેયુર બાથાણી, જોષીપરા ઝોનલ ઓફિસર નીતુબેન વ્યાસ, ટીંબાવાડી ઝોનલ ઓફિસર ત્રિપાલસિંહ રાયજાદા સહિતની ટીમ દ્વારા સીલીંગની કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત વેરા ધારકો પાસેથી ૨૩ લાખની વસુલાત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application