દારૂમાં મિથેનોલ કેમિકલનું પ્રમાણ વધી જવાથી લોકો મોતને ભેટે છે.ગુજરાતમાં ઘણા જીલ્લામાં લઠ્ઠા કાંડ થયા છે.જેમાં 20થી વધુ લોકોના મોત થયા હોય તેવા કિસ્સાઓ પણ સામે છે.ત્યારે તમિલનાડુમાં પણ એવું જ બન્યું છે. લોકો જે દારૂ પીવે છે તે દારૂ નહીં પરંતુ મિથેનોલ કેમિકલ છે.જેમાં 22 લોકોના મોત થયા છે.
તમિલનાડુના વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં કથિત રીતે નકલી દારૂના કારણે 22 લોકોના મોત થયા છે. ઘટનાના બે દિવસ બાદ તમિલનાડુ પોલીસે દાવો કર્યો હતો કે 22 લોકોના મોત નકલી દારૂ પીવાથી નહીં પરંતુ મિથેનોલ પીવાથી થયા છે.
સ્થળ પરથી મળી આવેલા દારૂની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે તે મિથેનોલ છે. તેમણે કહ્યું કે જપ્ત કરાયેલ દારૂને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં જાણવા મળ્યું હતું કે તે મિથેનોલ છે જે ફેક્ટરીમાંથી ચોરવામાં આવ્યો હતો.
સરકારે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ-ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CBCID)ને મોકલી છે. ડીજીપીએ કહ્યું કે આ મિથેનોલ ઓથિયુરથી આમરણ દ્વારા વેચવામાં આવતું હતું. ધરપકડ અને પૂછપરછમાં એવું કહેવામાં આવ્યું છે કે તેણે તેને મુથુ પાસેથી ખરીદ્યું હતું જ્યારે મુથુએ તેને પુડુચેરીના એઝુમલાઈથી ખરીદ્યું હતું.
આ ઘટનાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેની ઓળખ અમાવસાઈ તરીકે થઈ છે. ડીજીપી અનુસાર, વર્ષ 2022માં નકલી દારૂના સંબંધમાં કુલ 1,40,649 કેસ નોંધાયા છે. જેના આધારે અત્યાર સુધીમાં 1,39,697 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 37,217 લીટર નકલી દારૂ સાથે 2,957 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
ગત મહિને બિહારમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મોતિહારી જિલ્લામાં નકલી દારૂ પીવાથી 20થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે અનેકને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. બિહાર એક શુષ્ક રાજ્ય છે જ્યાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech