વિયેતનામ પ્રદર્શનમાં રાજકોટના ૨૦ ઉધોગકારો જોડાશે: પ્રથમ વખત સરકારે ગ્રાન્ટ આપી

  • August 26, 2023 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી ડિસેમ્બર મહિનામાં વિયેતનામ ખાતે યોજાનાર હાર્ડવેર અને ટુલ્સ એકસ્પોમાં રાજકોટના ૨૦ ઉધોગકારો ભાગ લેવાના છે. જેમાં આંતરરાષ્ટ્ર્રીય પ્રદર્શનમાં પ્રથમ વાર એમએસએમઇ દ્રારા ઉધોગકારોને એકિઝબિશન માટે ગ્રાન્ટ આપવામાં આવશે. એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઇ પાંચાણીએ જણાવ્યું હતું કે, વિયેતનામ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્ર્રીય પ્રદર્શનમાં રાજકોટના ૨૦ ઉધોગકારો ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં ઇન્ડિયાના નામથી પેવેલીયન ઉભું થશે જેમાં રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના નેજા હેઠળ ૨૦ ઉધોગકારો પ્રદર્શનમાં જોડાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ એન્જિનિરિંગ એસો.ના પ્રયાસથી પ્રથમ વખત સરકાર દ્રારા તમામ ઉધોગકારોને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં આ ઉધોગકારોને સરકાર તરફથી સ્ટોલનું ભાડું અને આવાગમનનો ખર્ચ એક ઉધોગકાર દિઠ ૩ લાખ રૂપિયા આપવામાં આવશે. ૨૧માં વિયેતનામ ઇન્ટરનેશનલ ટ્રેડફેરમાં રાજકોટને આંતરરાષ્ટ્ર્રીય પ્રદર્શનમાં વિશિષ્ટ્રતા રજૂ કરવાની તક મળી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application