1989- સિક્કિમ કેડરના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી ગોવિંદ મોહનને આગામી કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કેબિનેટની નિમણૂક સમિતિએ બુધવારે નામની પુષ્ટિ કરી છે. મોહન આસામ-મેઘાલય કેડરના 1984 બેચના IAS અધિકારી અજય કુમાર ભલ્લાનું સ્થાન લેશે. તમને જણાવી દઈએ કે અજયને ઓગસ્ટ 2019માં કેન્દ્રીય ગૃહ સચિવ નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ લગભગ અડધા દાયકા સુધી આ પદ પર રહ્યા હતા.
ગોવિંદ મોહનને આગામી કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ બુધવારે મોહનના નામની પુષ્ટિ કરી હતી. ગોવિંદ મોહન આસામ-મેઘાલય કેડરના 1984 બેચના IAS અધિકારી અજય કુમાર ભલ્લાનું સ્થાન લેશે.
મોહન 1989-સિક્કિમ કેડરના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોહનની નિમણૂક વધુ મહત્વ ધરાવે છે.
કોણ છે ગોવિંદ મોહન?
મોહને BHU-IIT વારાણસીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેઓ ઓક્ટોબર 2021 થી કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ તરીકે સેવા આપી છે. આ પહેલા તેઓ ગૃહ મંત્રાલય (MHA)માં બે વખત કામ કરી ચૂક્યા છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની મોહન ઓગસ્ટ 2017થી કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર છે. તેમણે મે થી સપ્ટેમ્બર 2018 સુધી ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને સપ્ટેમ્બર 2018 થી સપ્ટેમ્બર 2021 સુધી અધિક સચિવ તરીકે સેવા આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયેલમાં અંધાધૂંધ ગોળીબારમાં મહિલાનું મોત, અનેક ઘાયલ
October 06, 2024 08:27 PMIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech