આજે પણ પાડતોડ ચાલું: એસપી નિતીશ પાંડેય, એસડીએમ અમોલ આવટેના માર્ગદર્શન હેઠળ 1 હજાર પોલીસ જવાનો અને એસઆરપીના મજબુત બંદોબસ્ત સાથે પાડતોડ શરુ: ડ્રોન કેમેરાથી સતત નિરીક્ષણ
બેટ દ્વારકામાં 450 જેટલા ગેરકાયદેસર બાંધકામો કરનારાઓને તંત્ર દ્વારા નોટીસ આપ્યા બાદ છેલ્લા બે દિવસથી પાડતોડની કામગીરી શ કરી દેવામાં આવી છે, ગઇકાલ સાંજ સુધીમાં 177 દબાણો દુર કરીને 36900 ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે જેની કિંમત ા.19.88 કરોડ થાય છે, રેવન્યુ સર્વે નં.108 પરના સરકારી જમીન પરના દબાણો પણ દુર કરાયા છે અને આજ સવારે ફરીથી ત્રીજા દિવસે પણ આ પાડતોડ ઓપરેશન ચાલું રાખવામાં આવ્યું છે.
બેટ દ્વારકા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એસપી નિતીશ પાંડેય, એસડીએમ અમોલ આવટે, 3 ડીવાયએસપી અને 1 હજાર પોલીસ, એસઆરપીના જવાનો સાથે ઓપરેશન ડીમોલીશનની કામગીરી કરવામાં આવી હતી, ગઇકાલે દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્ર દ્વારા અનઅધિકૃત અતિક્રમણ હટાવવાની કામગીરી કરાઇ હતી અને આ વિસ્તારમાં ા.2 કરોડના કિંમતના 30 દબાણો દુર કરાયા હતાં.
વહિવટી તંત્ર દ્વારા બે દિવસમાં ા.19.88 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે, યાત્રાળુઓની અવરજવર ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે, સિગ્નેચર પુલ બંધ કરી દેવામાં આવ્યો છે અને યાત્રાળુઓની સંખ્યા પણ ઘટી ગઇ છે, કોઇપણ જાતના તોફાની તત્વો માથુ ન ઉંચકે તે માટે પોલીસ પેટ્રોલીંગ તેમજ ડ્રોન કેમેરાની મદદથી અને ફુટ પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
આ અગાઉ વહિવટી તંત્ર દ્વારા 450થી વધુ ગેરકાયદેસર બાંધકામધારકોને નોટીસ પાઠવવામાં આવી હતી, ત્યારબાદ જિલ્લા પ્રશાસન દ્વારા આખરી નોટીસ પણ ફટકારવામાં આવી હતી, નોટીસમાં સ્વૈચ્છીક રીતે બાંધકામો દુર કરવા જણાવાયું હતું, આખરે ગુપ્ત ઓપરેશન માટે મીટીંગ યોજાઇ હતી અને ઓપરેશન ડીમોલીશનની કામગીરી કરવામાં આવી હતી, દરિયાઇ પેટ્રોલીંગ તેમજ સુરક્ષા-વ્યવસ્થા પણ મજબુત બનાવી દેવામાં આવી છે, ખંભાળીયાના ડીવાયએસપી સાગર રાઠોડ, હાર્દીક પ્રજાપતિ તેમજ એલસીબી, એસઓજીનો જિલ્લાભરનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.
આજ સવારથી જે બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે ત્યાં પણ ડીમોલીશનના સ્થળે પોલીસ સ્કોડન કરી દેવામાં આવ્યું છે, વિકાસના કામોને ઘ્યાનમાં લઇને આ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ગૌચરની જમીન પણ ખુલ્લી કરી દેવામાં આવી છે.
સવારથી પાડતોડની કામગીરી શરુ કરાતા પીજીવીસીએલનો સ્ટાફ પણ સાથે જોડાયો હતો, એસઆરપી, એમપીએફટીના જવાનોને પણ તૈનાત રાખવામાં આવ્યા છે, દબાણો દુર કરતા લોકો એકઠાં પણ થયા હતાં, પરંતુ પોલીસે આ તમામને હટાવી નાખ્યા હતાં, જયાં સુધી સંપૂર્ણ ઓપરેશન ન થાય ત્યાં સુધી આ પાડતોડની કામગીરી ચાલું રહેશે, ગઇકાલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ દ્વારકામાં કરાયેલા ડીમોલીશન-ઓપરેશનની પણ પ્રશંસા કરી હતી અને તમામ ગેરકાયદેસર દબાણો દુર કરાશે તેમ પણ ટયુટર મારફત જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech