મહારાષ્ટ્રમાં સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે રાજ્યના 17 લાખ સરકારી કર્મચારીઓ એક સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જઈ રહ્યા છે. મુંબઈમાં યોજાયેલી રાજ્ય સરકારના કર્મચારીઓના સંગઠન કૃતિ સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ કર્મચારીઓ 29 ઓગસ્ટથી હડતાળ પર જશે.
રાજ્યના સરકારી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે તેમને જૂની પેન્શન સિસ્ટમ મુજબ પેન્શન આપવામાં આવે. રાજ્યના કર્મચારીઓ અને શિક્ષકો ગયા વર્ષે માર્ચ 2023માં સાત દિવસની હડતાળ પર ગયા હતા, આ હડતાળની અસર સરકાર પર જોવા મળી હતી. આ પછી રાજ્ય સરકારે કર્મચારી અને શિક્ષક સંઘ સાથે વાતચીત શરૂ કરી.
મુખ્યમંત્રીએ લેખિતમાં ખાતરી આપી હતી કે કર્મચારીઓ અને શિક્ષકોને જૂની પેન્શન સિસ્ટમ હેઠળ જ આર્થિક અને સામાજિક સુરક્ષા આપવામાં આવશે. પરંતુ, જો સરકાર દ્વારા ડિસેમ્બર 2023 સુધી કોઈ પગલાં લેવામાં નહીં આવે તો, કર્મચારીઓએ ફરીથી 14 ડિસેમ્બર, 2023 થી અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી હતી.
કર્મચારી સંગઠનોના દબાણને કારણે સરકારે આગામી બજેટ સત્રમાં સુધારેલી રાષ્ટ્રીય નિવૃત્તિ પગાર યોજનાની જાહેરાત કરી હતી. આમ છતાં સરકાર પોતાના વચનથી પાછી ફરી છે અને પોતાનું વચન પાળ્યું નથી. જેના કારણે મહારાષ્ટ્રના સાડા આઠ લાખ કર્મચારીઓ અને શિક્ષકો રોષે ભરાયા છે. કર્મચારીઓની માંગ છે કે કેન્દ્રની જેમ તેમને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે.
તેમજ કેન્દ્રની જેમ 1 નવેમ્બર 2005 પહેલા નિમાયેલા કર્મચારીઓ અને શિક્ષકો પર 1982ની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech