અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલી ગેરરીતિઓ અને દર્દીઓ સાથેની છેતરપિંડીના મામલાએ નવો વળાંક લીધો છે. હોસ્પિટલના કથિત કૌભાંડનો ભોગ બનેલા ૧૫ પરિવારોએ હવે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં પીડિત પરિવારોએ વ્યક્તિગત ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે.
ખ્યાતિ હોસ્પિટલ પર એવા ગંભીર આરોપો છે કે તેણે તમામ નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરીને દર્દીઓને શારીરિક અને આર્થિક રીતે નુકસાન પહોંચાડ્યું છે. હોસ્પિટલ પર આરોપ છે કે તેણે ખોટી રીતે એન્જીયોગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી જેવી પ્રક્રિયાઓ કરી છે, જેના કારણે ઘણા દર્દીઓને શારીરિક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
અત્યાર સુધી આ કેસમાં માત્ર એક જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેના કારણે અન્ય પીડિત પરિવારોને ન્યાય મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. આથી, પીડિત પરિવારોએ હાઈકોર્ટમાં અરજી કરીને વ્યક્તિગત ફરિયાદ નોંધાવવાની પરવાનગી માંગી છે.
અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હોસ્પિટલ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા દર્દીઓ પાસેથી હજુ સુધી કોઈ તપાસ એજન્સી કે આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર નિવેદન લેવામાં આવ્યા નથી. જેના કારણે પીડિતોમાં ભારે નારાજગી છે.
આ ઘટનાક્રમ બાદ હવે હાઈકોર્ટ આ મામલે શું નિર્ણય લે છે તે જોવું મહત્વનું રહેશે. પીડિત પરિવારોને આશા છે કે હાઈકોર્ટ તેમને ન્યાય અપાવવામાં મદદ કરશે અને ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડની યોગ્ય તપાસ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMજામનગર: સગીરા પર દુસ્કર્મ ગુજારનાર નરાધમ આરોપીને 20 વર્ષની સજા
May 16, 2025 06:06 PMરાજકોટમાં ડુપ્લીકેટ ફેવિકોલ-ફેવિક્વિક વેચવાનું કારસ્તાન, 1900 નંગ નકલી જથ્થો જપ્ત
May 16, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech