રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલહવાલે રહેલા ૧૫ આરોપીઓમાં મહાપાલીકાના પાંચ સસ્પેન્ડ અધિકારીઓ અને બે જમીન માલિકોએ હાઇકોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજીમાં ટીપીઓ સાગઠિયા, ફાયર ઓફિસર ખેર અને જમીન માલિક જાડેજા બંધુઓની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે, યારે મહાનગરપાલિકાના અન્ય ત્રણ અધિકારીઓ મકવાણા જોષી અને ચૌધરીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
રાજકોટમાં કાલાવડ રોડ નજીક મોકાજી સર્કલ પાસે સર્જાયેલા ટીઆરપી ગેમઝોન અિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહત્પલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર વગેરે ૧૫ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. બાદ સેશન્સ અદાલતમાં જમીન માલિકો અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, ફાયર ઓફિસર ઇલેશ ખેર, આસિ. ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા, આસી. ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોષી, એન્જિનિયર જયદિપ ચૌધરીએ કરેલી જામીન અરજીઓ નામંજૂર થતાં આ તમામે ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. તેમાં આરોપીના વકીલે મુદતો માંગ્યા બાદ સુનાવણી હાથ ધરાઈ હતી, તેમાં બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોષી અને એન્જીનીયર જયદીપ ચૌધરીના વકીલ વિશાલ આણંદજીવાલા, એસ.બી. ટોળીયા અને મજમુદાર દ્રારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સ્પે.પીપી વિરાટ પોપટની રજૂઆતને ગ્રાહ્ય રાખી પૂર્વ ટીપીઓ એમ.ડી. સાગઠિયા, ફાયર ઓફિસર ઇલેશ ખેર, જમીન માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની રેગ્યુલર જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. યારે આરોપી પક્ષના વકીલો વિશાલ આણંદજીવાલા, એસ.બી. ટોળીયા અને સર્વિલ મજમુદાર અને પંથિલ મજમુદાર દ્રારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટે અન્ય ત્રણ આરોપી મ્યુ. કોર્પેા.ના અધિકારીઓ એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોષી, એન્જિનિયર જયદીપ ચૌધરીની જામીન અરજી મંજૂર કરી છે. આ પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. તરીકે વિરાટ પોપટ, હતભાગી પરિવારો વતી વકીલ તરીકે નરેન્દ્રસિંહ જાડેજા, ભાવેશ હજારે અને રાજકોટની કોર્ટમાં સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી, એડિશનલ સ્પે. પીપી નિતેશ કથીરીયા, હતભાગી પરિવારો વતી બાર એસોસિયેશન ટીમના સુરેશ ફળદુ રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech