રાજકોટ
રાજકોટ મહાપાલિકાને વિકાસકામો માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ ૧૩૫ કરોડની ગ્રાન્ટનો ચેક અર્પણ કર્યેા હતો. ગુજરાત સરકાર હસ્તકનાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ, ગાંધીનગર તરફથી પ્રતિ વર્ષની જેમ રાયની નગરપાલિકાઓ તથા મહાપાલિકાઓના શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ચેક અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તે અનુસાર રાયની નગરપાલિકા તેમજ મહાપાલિકાને શહેરી વિકાસના કામો માટે આજે તા.૨–૧–૨૦૨૪ને મંગળવારના રોજ મુખ્યમંત્રીના હસ્તે .૨૦૮૪ કરોડના ચેક અર્પણ કાર્યક્રમ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં રાજકોટ મહાપાલિકાને સ્વર્ણિમ હેઠળના વિકાસ કમો માટે ૧૩૫ કરોડનો ચેક અર્પણ કર્યેા હતો.
ગાંધીનગર ખાતે આયોજિત શહેરી વિકાસના કામો માટે ચેક અર્પણ સમારોહમાં રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર અનિલ ધામેલીયા ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે .૧૩૫ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે .૧૩૫ કરોડની માતબાર રકમની ફાળવણી કરવા બદલ સૌએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર માન્યો હતો.
વિશેષમાં, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ ગુજરાત રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધેલ હતી. આ મુલાકાત વેળાએ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોની ચર્ચા વિચારણા કરેલ હતી અને નવા વિકાસ કામોના પ્રોજેકટસ અંગે માર્ગદર્શન મેળવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech