એક જ પરિવારના 9 મહિલા અને 4 બાળકો પર કાળચક્ર ફરી વળ્યું, ટ્રક અને ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત, છઠીના પ્રસંગમાંથી પરત ફરતા હતા

  • May 12, 2025 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાયપુર-બાલોદાબજાર રોડ પર સારાગાંવ નજીક એક ટ્રક અને ટ્રેલર વચ્ચે ટક્કર થઈ, જેમાં 13 લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. આ લોકો બંસરી ગામમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. ઘાયલોને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.આ અકસ્માતમાં જીવ ગુમાવનારા ૧૩ લોકોમાં ૯ મહિલાઓ અને ૪ બાળકોનો સમાવેશ થાય છે. રાયપુરના એસપી લાલ ઉમ્મેદ સિંહે જણાવ્યું હતું કે, ચટૌડ ગામના કેટલાક લોકો છઠી કાર્યક્રમમાં હાજરી આપવા માટે બંસરી ગામમાં ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા પછી તેઓ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાયપુર-બાલોદાબજાર રોડ પાસે આ અકસ્માત થયો હતો, વધુ તપાસ ચાલી રહી છે.


ટ્રેલર એક ટ્રક સાથે અથડાઈ પડ્યું

રાયપુર પોલીસને મળેલી માહિતી મુજબ, ચતૌડ ગામનો એક પરિવાર એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બંસરી ગામમાં આવ્યો હતો. પરત ફરતી વખતે, ખારોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સારાગાંવ નજીક તેમનું ટ્રેલર એક ટ્રક સાથે અથડાઈ પડ્યું હતું.


ઘાયલો નજીકની હોસ્પિટલમાં દાખલ 

રાયપુરના કલેક્ટર ગૌરવ કુમાર સિંહે જણાવ્યું હતું કે રવિવારે રાત્રે લગભગ 12.00 વાગ્યે અકસ્માતની માહિતી મળી હતી. આ પછી, વહીવટી ટીમ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application