રાજ્યભરમાં ૧૩.૧૪ લાખ વિદ્યાર્થીઓએ આપી જ્ઞાનસેતુ-જ્ઞાનશક્તિ પરીક્ષા

  • March 30, 2024 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાનશક્તિ સહિતની પ્રોજેક્ટ સ્કૂલમાં ધોરણ.૬થી પ્રવેશ માટે અને જ્ઞાનસેતુ સ્કોલરશિપ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશિપ પરીક્ષા આજે લેવાય હતી. 

આ બંન્ને પરીક્ષા માટે સમગ્ર ગુજરાતમાંથી કુલ ૧૩.૧૪ લાખ જેટલા વિદ્યાર્થી નોંધાયા છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ૭.૧૨ લાખ અને સ્કોલરશિપ પરીક્ષા માટે ૬.૦૨ લાખ વિદ્યાર્થી નોધાયા છે. રાજ્ય પરીક્ષા બોર્ડે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે કુલ ૨૪,૭૨૩ બ્લોકમાં વ્યવસ્થા ગોઠવી છે, જ્યારે સ્કોલરશિપ પરીક્ષા માટે ૨૧,૦૪૨ બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
​​​​​​​
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત ગત વર્ષથી જ્ઞાનશક્તિ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ, મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ માટે અને જ્ઞાનસેતુ સ્કોલરશિપ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું નક્કી કર્યું છે. આ સિવાય ધોરણ.૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપ મળે એ માટે જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવે છે. આ બંન્ને પરીક્ષા માટે ગત ૨૯મી જાન્યુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયાં હતા.
આ દરમિયાન ધોરણ-૬માં પ્રવેશ માટે લેવાનારી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ૭.૧૨ લાખ અને જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટે ૬.૦૨ લાખ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૩.૧૪ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. શનિવારે સવારે પ્રથમ સેશનમાં એટલે કે, સવારે ૧૦:૩૦થી ૧ વાગ્યા દરમિયાન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application