@aajkaal team
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં હાલ નવો વળાંક સામે આવ્યો છે. આ કેસને 90 દિવસ પૂર્ણ થતા તપાસનીસ અધિકારીના નિવેદન સહિત 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં જયસુખ પટેલનું નામ ભાગેડું આરોપી તરીકે ઉમેરાયું છે. તદુપરાંત ચાર્જશીટમાં કુલ 10 આરોપીઓના નામ આપવામાં આવ્યા છે.
મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ. ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.જે કેસમાં ગત 25મી જાન્યુઆરીએ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા તૈયારી દર્શાવાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જે બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે.
હાલ મોરબી દુર્ઘટના મામલે પોલીસે અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી જયસુખ પટેલ ધરપકડ ટાળી રહ્યો હતો અને તેની પૂછપરછ માટે મોકલવામાં આવેલા તમામ સમન્સની અવગણના કરવામાં આવી રહી હતી. હાલ ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને આરોપી ગણાવવામાં આવશે. આ 1200 પાનાની ચાર્જશીટ આવતા સપ્તાહમાં ફાઈલ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુરોપમાં ફેલાયેલો કોરોનાનો નવો વેરિયન્ટ જોખમી બની શકે: ચેતવણી
September 20, 2024 11:14 AMમુખ્યમંત્રીનો આભાર વ્યકત કરતા સાંસદ પૂનમબેન માડમ
September 20, 2024 11:13 AMકોલકાતામાં ડોક્ટરોની હડતાલ ખતમ, વિરોધ પ્રદર્શન ચાલુ
September 20, 2024 11:13 AMસલાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ
September 20, 2024 11:10 AMનકલી કોર્ટમાં નકલી કેસ દાખલ કરી 59 લાખ રૂપિયાની છેતરપિંડી કરી
September 20, 2024 11:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech