ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં 1200 પાનાની ચાર્જશીટ ફાઈલ,જયસુખ પટેલનું નામ ભાગેડું આરોપી તરીકે ઉમેરાયું

  • January 27, 2023 09:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaal team


મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં હાલ નવો વળાંક સામે આવ્યો છે. આ કેસને 90 દિવસ પૂર્ણ થતા તપાસનીસ અધિકારીના નિવેદન સહિત 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાં જયસુખ પટેલનું નામ ભાગેડું આરોપી તરીકે ઉમેરાયું છે. તદુપરાંત ચાર્જશીટમાં કુલ 10 આરોપીઓના નામ આપવામાં આવ્યા છે.


મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ. ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.જે કેસમાં ગત 25મી જાન્યુઆરીએ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા તૈયારી દર્શાવાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જે બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે.


હાલ મોરબી દુર્ઘટના મામલે પોલીસે અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી જયસુખ પટેલ ધરપકડ ટાળી રહ્યો હતો અને તેની પૂછપરછ માટે મોકલવામાં આવેલા તમામ સમન્સની અવગણના કરવામાં આવી રહી હતી. હાલ ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને  આરોપી ગણાવવામાં આવશે. આ 1200 પાનાની ચાર્જશીટ આવતા સપ્તાહમાં ફાઈલ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application