પ.પૂ. મહાસતીજી ધનકુંવરબાઇ સ્વામીની ૧૧૧મી જન્મજયંતી

  • August 22, 2023 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં તા. ૨૩-૮-૨૩ના પ.પૂ. મહાસતીજી ધનકુંવરબાઇ સ્વામીની ૧૧૧ જન્મજયંતી નિમિતે ઉપાશ્રયે સવારે ૭-૩૦ વાગ્યે પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે પ્રાર્થના બાદ સ્વ. નેતમલાલ વાલજીભાઇ છાટલીયા તરફથી પેંડાની પ્રભાવના રાખવામાં આવી છે, જયારે એકાસણુ બપોરે ૧૨ વાગ્યે તેજપ્રકાશ ઉપાશ્રયે દાતા સ્વ. ઘડીયાળી કુસુમબેન મનસુખલાલ મહેતા તરફથી રાખેલ છે. જયારે ફકત હેનો માટે બપોરે ૨-૩૦ થી ૫ ૩-૩ સામયીક અને જાપ રાખેલા છે જેમા જુદા જુદા દાતાઓ તરફથી પ્રભાવના કરવામાં આવશે આ દરેક કાર્યક્રમનો લાભ લેવા માટે જૈન જૈનેતર ભાઇઓ બહેનોને ધનકુંવરબાઇ સ્વામી ભકત મંડળ વતી અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application