રાજકોટ મહાપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા.૯ એપ્રિલ ૨૦૨૫થી વેરાની વસુલાત શરૂ કરાઇ છે. રાજકોટ મહાપાલિકા દ્રારા મિલ્કતવેરાના બાકીદારોને રાહત મળી રહે તે હેતુથી વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ અમલમાં મુકવામાં આવી છે. આ યોજના કરદાતાઓ સરળ રીતે બાકી વેરાની રકમને વાર્ષિક ધોરણે ચાર હપ્તા (જુનું ચડત+ચાલુ વાર્ષનો વેરો) થકી ભરી શકે છે જેથી બાકી મિલકતવેરામાં ચડત થતું વ્યાજ બંધ થાય છે. ઉપરાંત વર્તમાન સમય સુધીમાં વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમમાં કુલ ૧૧૧૯ કરદાતાઓએ ભાગ લીધો છે તથા વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ યોજના તા.૩૧-૫-૨૦૨૫ સુધી અમલી રહેશે.
મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચને હાલ સુધીમાં કુલ ૧,૯૧,૫૯૭ કરદાતાઓ દ્વારા રૂ.૧૨૦.૩૫ કરોડની વસુલાત થઇ છે. જેમાં કુલ ૧,૪૦,૦૩૬ કરદાતાઓ દ્વારા ઓનલાઇન રૂ.૮૨.૭૬ કરોડ તથા ૫૧,૫૩૧ કરદાતા દ્વારા ચેક તથા રોકડાથી રૂ.૩૭.૫૯ કરોડ આવક થઇ છે. કુલ વેરામાં ૧૩.૬૫ કરોડ જેટલી માતબર રકમ નું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.અર્લિ બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમનો લાભ લઇ કુલ ૧,૯૫,૬૫૭ કરદાતાએ વેરા ચુકવણી કરી છે.
ડિસ્કાઉન્ટ યોજના હેઠળ તા.૩૧-૫-૨૦૨૫ સુધી સામાન્ય કરદાતાઓને ૧૦ ટકા ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે ૧૫ ટકા ડિસ્કાઉન્ટનું પ્રદાન કરવામાં આવે છે. ત્યારબાદ ૧ જુન ૨૦૨૫ થી ૩૦ જુન ૨૦૨૫ સુધી મહિલાઓ માટે ૧૦ ટકા ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ મિલકતધારકોને આ બંને યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુકેશ અંબાણી અને ટ્રમ્પ આજે સાથે ડિનર લેશે
May 15, 2025 10:03 AMરાજકોટ ના કાલાવડ રોડ પર ખીરસરા નજીક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર પર થાંભલા સાથે ટકરાઈ
May 15, 2025 09:22 AMAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech