રાજકોટ, કાલાવડ સહિત 11 મામલતદારો આજથી નિવૃત્ત

  • August 01, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્રના પાંચ સહિત રાજ્યના 11 મામલતદારોએ નિવૃત્તિ માટે કરેલી અરજીનો સરકારે સ્વીકાર કર્યો છે અને રેવન્યુ વિભાગ દ્વારા આ સંદર્ભે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે આ તમામ 11 મામલતદારોને આજથી સરકારની સેવામાંથી મુક્ત કરવામાં આવે છે.
આજથી સરકારની સેવામાંથી સૌરાષ્ટ્રના જે પાંચ મામલતદારો નિવૃત્ત થયા છે તેમાં રાજકોટના એસ,આર,ગિણોયા, ગીર સોમનાથ જિલ્લાના તલાલાના બી.એચ.કુબાવત, જામનગર જિલ્લાના કાલાવડના એફ.બી.પુરોહિત જૂનાગઢના પી.ડી.પટેલ અને પોરબંદરના કે. વી. નકુમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડા ના એસ.જી.પટેલ સિંગવડના જી.કે.શાહ ખેડા જિલ્લાના ગળતેશ્વરના એમ. એમ. મેઘા સુરતના એસ.પી.ફાર્મર તાપીના એમ. એ. મનસુરી વડોદરાના બી.આર જોશીનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application