હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી ખાતે યોજાયેલ જિલ્લ ા કક્ષાની તિરંગા યાત્રામાં મોરબી જિલ્લ ાવાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો. અંદાજિત ૩ હજાર લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્ર્રધ્વજ લહેરાવી મોરબીને તિરંગામય બનાવી દીધો હતો.
સાંસદ વિનોદભાઈ ચાવડા, રાયસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લ ા કલેકટર કે. બી. ઝવેરી, જિલ્લ ા પોલીસ અધિક્ષક રાહત્પલ ત્રિપાઠી, ઈન્ચાર્જ જિલ્લ ા વિકાસ અધિકારી અને જિલ્લ ા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન. એસ. ગઢવી સહિતના મહાનુભાવોએ રાષ્ટ્ર્રધ્વજ લહેરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસના જવાનો ૧ હજાર ફટ લાંબો રાષ્ટ્ર્રધ્વજ લઈ તિરંગા યાત્રામાં જોડાયા હતા, જેથી યાત્રામાં અદભૂત દ્રશ્યો સર્જાયા હતા અને આ તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મોરબી જિલ્લ ાવાસીઓએ અદભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્ર્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યકત કરી હતી.
મોરબીના નગરજનો આ યાત્રામાં જોમ જુસ્સાથી જોડાયા હતા. સબ સે પ્યારા તિરંગા હમારાની ભાવના વ્યકત કરી સૌ ઉપસ્થિતોએ ગર્વભેર તિરંગો લહેરાવી, વંદે માતરમ્, ભારત માતા કી જય સહિત દેશભકિતના નારા લગાવ્યા હતા સાથે સ્વાતંય વીરો અને દેશના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. શાળાના બાળકો દેશભકિતને અનુપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા. યાત્રાને નિરખવા મોરબીના માર્ગેા પર લોકોના ટોળા ઉમટા હતા અને સૌને તિરંગા યાત્રાનું અભિવાદન કયુ હતું. યાત્રા દરમિયાન મહાનુભાવોએ નગરપાલિકા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો. શનાળા રોડ પર શ્રી સરદાર વલ્લ ભભાઈ પટેલની મૂર્તિને મહાનુભાવોએ પુષ્પહાર અર્પણ કરી યાત્રાની પૂર્ણાહત્પતિ કરાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech