શ્રીનગર–જમ્મુ નેશનલ હાઈવે પર રામબન નજીક શુક્રવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ, એસડીઆરએફ અને રામબન સિવિલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે બચાવ કામગીરી શ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે રામબન વિસ્તારમાં બેટરી ચશ્મા પાસે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર જમ્મુથી શ્રીનગર જઈ રહેલી પેસેન્જર કેબ ઉંડી ખાઈમાં પડી ગઈ હતી. કેબમાં મુસાફરી કરી રહેલા ઘણા મુસાફરોના મોતની આશંકા છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, એસડીઆરએફઅને સિવિલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે અત્યાર સુધીમાં ૧૦ લોકોના મૃતદેહ બહાર કાઢા છે. પરંતુ વિસ્તારમાં ઉંડી ખાઇ, અંધારપટ અને વરસાદના કારણે બચાવ કામગીરી હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે આ અકસ્માતની જાણકારી લગભગ મોડી રાતે ૧.૧૫ વાગ્યે મળી હતી.જમ્મુથી કાશ્મીર મુસાફરોને લઈ જતી એક ટેકસી (ટવેરા) નેશનલ હાઈવે–૪૪ પર બેટરી ચશ્મા પાસે લગભગ ૩૦૦ મીટર ઐંડી ખાઈમાં પડી હતી. એસએચઓ પીએસ રામબન, પોલીસ ટીમ, એસડીઆરએફ ટીમ અને સિવિલ કયુઆરટી રામબન સહિતના વરિ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શ કરી. ઉંડી ખાઈમાંથી અત્યાર સુધીમાં ૧૦ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તેઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે કારણ કે ભૂપ્રદેશ ખૂબ જ મુશ્કેલ છે અને સતત વરસાદ પડી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMશસ્ત્ર ફિલ્મની સ્ટાર કાસ્ટ બની આજકાલની મહેમાન, જાણો ફિલ્મ વિશે રસપ્રદ વાતો...
April 26, 2025 05:12 PMરાજકોટ : વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાની પત્રકાર પરિષદ
April 26, 2025 05:10 PMરાજકોટ : પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃતકોને યુવા ભાજપ મોરચા દ્વારા શ્રદ્ધાજંલી
April 26, 2025 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech