ભંડારિયામાં ગેરકાયદેસર ખોદકામ કરતા રૂ.૧.૨૪ કરોડનો મુદ્દામાલ જપ્ત

  • April 04, 2024 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલેક્ટર  દિગ્વિજયસિંહ જાડેજાને ગેરકાયદેસર ખનન બાબતે ખાનગી બાતમી મળતાં કોડીનાર તાલુકાના સિંધાજ તથા ગોવિંદપુરા ભંડારિયા ગામે જાતે તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત છ જેટલી લીઝમાં આકસ્મિક તપાસ કરતાં લીઝ વિસ્તારની બહાર ખોદકામ પ્રવૃત્તિ ધ્યાને આવી હતી. 
​​​​​​​
જેને ધ્યાનમાં લેતાં કુલ ૧૮ ચકરડી, ૩ જેસીબી, ૭ ટ્રેક્ટર અને ૧ ટ્રોલી સાથે રૂ. ૧.૨૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કલેકટરએ પ્રાંત અધિકારી, મામલતદાર તથા ખાણખનીજ વિભાગના અધિકારીઓને ધોરણસરની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
જપ્ત થયેલ મુદ્દામાલની વિગત જોઈએ તો કોડીનાર તાલુકાના સિંધાજ ગામે ૧૨ ચકરડી, ૨ જેસીબી, ૫ ટ્રેક્ટર અને ૧ ટ્રોલી સાથે રૂ. ૮૫ લાખની જપ્તી કરવામાં આવી હતી. એવી જ રીતે ગોવિંદપુરા ભંડારીયા ગામે ૬ ચકરડી, ૧ જેસીબી, ૨ ટ્રેક્ટર સાથે રૂ. ૩૯ લાખની જપ્તી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application