જામનગર શહેરના 29 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો

  • March 25, 2026 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના 29 જેટલા વિસ્તારોમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો

નિયત કરાયેલા વિસ્તારોમાં મિકલતની તબદીલી સમયે શહેર પ્રાંત અધિકારીની મંજૂરી લેવાની રહેશે 

જામનગર શહેરના સીટી સર્વે-૧માં સમાવિષ્ટ વિસ્તાર રાજગોર ફળી, ગણેશફળી, દેવબાગ, સમૃદ્ધિ એપાર્ટમેન્ટ, સુતરીયા ફળી, વઝીર ફળી, શત્રુખાના, ડેલી ફળી, વજુ કંદોઇની ડેલી, બારોટ ફળી, ટાંક ફળી, હેવલી શેરી, ધોરમ ફળી, સોની ફળી, મોટુ ફળી, દેહરા ફળી, વંડા ફળી, ખારા કૂવા, સોઢાનો ડેલો, પુનાતર ફળી, ઘોઘીનો ડેલો, વારીયાનો ડેલો, ભોઇવાડો, કુંભારવાડો, ખવાસ વાડો, કોલીવાડ, અણદાબાવાનો ચકલો અને નાગર ચકલો તથા સીટી સર્વે-૨માં સમાવિષ્ટ પંચવટી વિસ્તારમાં 22 માર્ચ 2031 સુધી 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે.

જેથી આ વિસ્તારમાં મિકલતની તબદીલી સમયે ગુજરાત અશાંત વિસ્તાર ખાતેની મિકલતની તબદીલી પર પ્રતિબંધ મુકવા તથા તે વિસ્તારોમાંથી ભાડૂતોને ખાલી કરાવવા માંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબત અધિનિયમ, ૧૯૯૧ની કલમ-૪,૫ તથા ૫-(એ)ની જોગવાઇઓ મુજબ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી જામનગર શહેરની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે. તેમ જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application