રાજકોટ જિલ્લાની 867 શાળાઓમાં 18,517 બાળકોને પ્રવેશ અપાશે

  • June 11, 2025 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણી અને 8000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીના કારણે ગુજરાત સરકાર દ્વારા તારીખ 18 થી શરૂ થનારો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પાછો ઠેલાયો છે. આગામી તારીખ 26 થી શરૂ થનાર આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત હસ્તકની 846 અને નગરપાલિકાઓ હસ્તકની 21 શાળાઓમાં એડમિશન માટેની તૈયારી બંને નગરપાલિકાઓ સાથેના સંકલનમાં રાજકોટ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા પૂરી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ  કરાવવા માટે આગામી તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન રાજકોટ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવશે. પ્રવેશોત્સવ દ્વારા રાજકોટ જિલ્લાના કુલ ૧૮,૫૧૭ ભૂલકાંઓનો શાળા પ્રવેશ કરાવવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ૮૪૬ અને જેતપુર તથા ઉપલેટામાં નગર શિક્ષણ સમિતિ સંચાલિત ૨૧ પ્રાથમિક શાળા કાર્યરત છે. જેમાં હાલમાં ૫૪,૩૩૧ કુમાર તથા ૫૨,૩૩૭ કન્યા મળી કુલ ૧ લાખ ૬ હજાર ૬૬૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ષે શાળાઓમાં ધો.૧માં ૪,૯૭૬ વિદ્યાર્થીઓ તેમજ બાલવાટિકામાં ૧૩,૫૪૧ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૮,૫૧૭ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ થશે.

તાલુકા અનુસાર બાલવાટિકા વર્ગમાં ધોરાજી તાલુકાના ૭૩૯, ગોંડલ તાલુકાના ૧૧૮, જામકંડોરણાના ૪૮૦, જેતપુરના ૧૧૦૯, જસદણના ૧૬૬૯, કોટડાસાંગાણીના ૮૫૭, લોધિકાના ૬૩૨, પડધરીના ૬૩૭, રાજકોટના ૨૧૫૩, ઉપલેટાના ૧૦૭૧ અને વિંછીયા તાલુકાના ૧૧૨૮ એમ કુલ ૧૩૫૪૧ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧મા ધોરાજી તાલુકાના ૪૧, ગોંડલ તાલુકાના ૩૩૯, જામકંડોરણાના ૨૪, જેતપુરના ૩૪, જસદણના ૧૯૧૨, કોટડાસાંગાણીના ૪૬, લોધિકાના ૪૮, પડધરીના ૧૩, રાજકોટના ૨૪૬૫, ઉપલેટાના ૨૯ અને વિંછીયા તાલુકાના ૨૫ એમ કુલ ૪૯૭૬ વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News