જામનગરની શ્રીવિભાજી સરકારી હાઈસ્કૂલ ખાતે ધોરણ-૯ થી ૧૨માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ 

  • May 28, 2025 06:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની શ્રીવિભાજી સરકારી હાઈસ્કૂલ ખાતે ધોરણ-૯ થી ૧૨માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ 

શિક્ષણ વિભાગ સંચાલિત શ્રી વિભાજી સરકારી હાઈસ્કૂલ, જામનગરનું વર્ષ-૨૦૨૪-૨૫ નું ધોરણ -૧૦ બોર્ડનું પરિણામ ૧૦૦% તેમજ ધોરણ-૧૨ બોર્ડનું પરિણામ ૭૮.૯૫% આવેલ છે. આ શાળામાં આચાર્ય પી.એન.પાલા તેમજ કાર્યદક્ષ શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે સંસ્કાર તેમજ સહ અભ્યાસ પ્રવૃત્તિઓથી સિંચન કરવામાં આવે છે. તેમજ ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે. 

શ્રીવિભાજી સ્કુલ આધુનિક સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, લાઈબ્રેરી તેમજ તમામ ભૌતિક સુવિધાઓથી સુસજ્જ છે. જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવહારની ઉત્તમ સુલભતા છે. આ શાળા સરકારી શાળા હોય વિદ્યાર્થીઓને વિનામુલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણ શિક્ષણ તેમજ પાઠ્ય પુસ્તકો મફત આપવામાં આવે છે. ધોરણ-૯ થી ૧૨ માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ વહેલી તકે પ્રવેશ ફોર્મ શાળામાંથી મેળવી પ્રવેશ મેળવી લેવા તેમજ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે તેમ શાળાના આચાર્યશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application