ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ ની વાતચીતમાં કોણ કોણ હતું સામેલ ? હવે પછી બંને દેશ શું કરશે ? જાણો વધુ વિગતો

  • May 10, 2025 07:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થઈ ચૂકી છે. જોકે બન્ને દેશ વચ્ચે કોણ મધ્યસ્થી બન્યું તે અંગે અમે આપને જણાવી રહ્યા છીએ. બન્ને દેશના વડાપ્રધાન સાથે 48 કલાકથી વાતચીત ચાલી રહી હતી
​​​​​​​

હવે પછી ન્યુટ્રલ સાઇટ ઉપર બંને દેશના લોકો મળીને વાતચીત કરશે એટલે કે જે એજન્ડા ઉપર આયુદ્ધ વિરામ નક્કી થયું હોય એ એજન્ડા અંગે વાતચીતનો દોર ચાલશે અને તે ન્યુટ્રલ સાઈટનો મતલબ એવો થાય કે ભારત કે પાકિસ્તાન નહીં પણ ત્રીજી જ કોઈ જગ્યા

અમેરિકાએ 48 કલાકથી બન્ને દેશની સરકાર સાથે વાતચીત કરી

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ અને ઉપરાષ્ટ્રપતિએ મોદી સાથે વાત કરી હતી. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને હું પોતે છેલ્લા 48 કલાકથી ભારત-પાકિસ્તાનના અધિકારીઓ તેમજ પીએમ નરેન્દ્ર મોદી, પીએમ શાહબાઝ શરીફ, વિદેશ મંત્રી એસ જયશંકર, સંરક્ષણ મંત્રી અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે વાત કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું, 'મને એ જણાવતા આનંદ થાય છે કે પાકિસ્તાન અને ભારતની સરકારો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થઈ છે. બંને દેશોએ નિષ્પક્ષ મંચ પર વિવાદોના ઉકેલ માટે વાતચીત કરવા સંમતિ આપી છે. શાંતિનો માર્ગ સમજદારીપૂર્વક પસંદ કરવા બદલ અમે મોદી અને શાહબાઝ શરીફની પ્રશંસા કરીએ છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application