યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે પરિવાર સાથે ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કર્યું, મા ખોડલ સમક્ષ શિશ ઝુકાવ્યું

  • April 25, 2026 05:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ખોડલધામ સંગઠન અધ્યક્ષ અનારબેન પટેલે આજ રોજ ખોડલધામ મંદિરના પવિત્ર પ્રાંગણમાં પરિવારજનો સાથે પધારી મા ખોડલના ધામમાં ધ્વજારોહણનો લ્હાવો લીધો હતો.

આજે ખોડલધામ સંગઠન અધ્યક્ષ અનારબેન પટેલ અને તેઓના પરિવાર ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિથી ધ્વજાજીનું પૂજન કરીને વાજતે ગાજતે સામૈયા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખોડલધામ મંદિરના શિખર પર બાવન ગજની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ ધ્વજારોહણ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ માનનીય આનંદીબેન પટેલે પણ ઉપસ્થિત રહીને મા ખોડલના દર્શન કરી શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. ધ્વજારોહણ પ્રસંગે ઉપસ્થિત આનંદીબેન પટેલનું ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરીને સન્માન કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application