જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચારવાના કેસમાં બે આરોપીઓને અનુક્રમે પાંચ વર્ષ અને દસ વર્ષની સજાનો અદાલતે આદેશ કર્યો છે.
ફરિયાદી મહિલા ની સગીર વય ની પુત્રી એકાદ મહિના થી ગુમસુમ રહેતી હોય અને કાઈ બોલતી - ચાલતી ન હતી .અને તાં.૧૬/ ૭/૨૦૨૧ ના રોજ રડવા લાગી હતી. જેથી માતા એ પુછપરછ કરતા સગીરા એ જણાવેલ કે આજ થી દોઢેક મહિના પહેલા સાંજે ગામ મા હટાણુ કરવા જતી હતી ત્યારે આપણા ગામનો અને સગીરા નો પિતરાઈ ભાઈ લાખા ઉર્ફે લાલો કાનાભાઈ પરમાર તેણી ને મળ્યો હતો અને ચાલ મારે તારૂ કામ છે તેમ કહી પોતા ની સાથે લઈ ગયો હતો. રસ્તા માં તેને પુછેલ કે તુ મને કયા લઈ જાય છે, તેમ કહેતા મને મોઢા ઉપર ડુચો દઇ આગળ જુના જેવા ખંઢેર વાડા પાસે લઈ જઈ જ્યાં કૌટુંબિક કાકા દિનેશ ખીમાભાઈ પરમાર ને સોંપી કહ્યું હતું કે આ રહી તારી રાધા તારે જે કરવું હોય એ કર. તેમ કહી લાખો ત્યાંથી જતો રહ્યો હતો. અને દિનેશ પરમાર એ તેણી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.અને આ વાત કોઈ ને કહીશ તો જાનથી મારી નાખાવાની ધમકી આપી હતી.
આ અંગે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આ અંગે નો કેસ અદાલત માં ચાલી જતા સરકાર તરફે ૧૯ કેટલા સાક્ષીઓ ને તપાસવામા આવ્યા હતા.તેમજ દસ્તાવેજી પુરાવામાં તેમજ બંને પક્ષો ની દલીલો સાંભળ્યા પછી પોકસો કોર્ટ ના જજ વી પી અગ્રવાલ એ લાખા કાનાભાઇ પરમાર ને ૫ વર્ષ ની સજા અને રૂ ૩૦૦૦ નો દંડ તથા આરોપી દિનેશ ખીમાભાઈ પરમાર ને ૧૦ વર્ષની સજા અને રૂ ૫૦૦૦ નો દંડ તેમજ ભોગ બનનાર ને સરકાર માંથી ૧ લાખ નું વળતર ચૂકવવા નો આદેશ કર્યો છે. આ કેસ માં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech