કાલાવડના નિકાવા ગામે તિરંગાયાત્રા

  • May 20, 2025 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવાડ તાલુકાના નિકાવા ગામે તિરંગા યાત્રા યોજાઈ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.વિવિધ વિસ્તારોમાં યાત્રા ફરીને નાંંદી ગ્રામ ચોકમાં પૂર્ણ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતની ત્રણેય પાંખ દ્વારા પાકિસ્તાન પર હુમલો કરીને આતંકવાદીઓના અડ્ડાઓનો સફાયો કરવામાં આવ્યો છે ત્યારે દેશના સશસ્ત્ર દળોના માન અને સન્માનમાં કાલાવડ તાલુંંકાના નિકાવામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તિરંગા યાત્રા નંદીગ્રામ ચોક થી રામજી મંદિર- વિઠ્ઠલ કરીદાસ ચોક- જુમ્મા મસ્જિદ-પાતા મેઘપર રોડ થી રાજકોટ-કાલાવડ-બસ સ્ટેન્ડ-લેઉવા પટેલ સમાજ- નંદીગ્રામ ચોક સહિતના વિસ્તારોમાં ફરીને આ તિરંગા યાત્રા નંદીગ્રામ ચોકમાં પૂર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રામાં એક્સ આર્મીમેન, ગામના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો, વેપારીઓ સહિત જોડાયા હતા.આ ઉપરાંત જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી, જામનગર ના લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી.ફળદુ , કાલાવડ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, સામાજિક અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application