ઠેર-ઠેર વિવિધ ધાર્મિક આયોજનો
આગામી સોમવાર તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વિધિ સમારોહ સમગ્ર દેશમાં ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. શ્રી રામલલ્લાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ખંભાળિયામાં પણ ઠેર ઠેર વિવિધ આયોજનો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે તમામ ધાર્મિક આયોજનોમાં સહભાગી થવા આગામી સોમવાર તારીખ ૨૨ મીના રોજ ખંભાળિયાના વેપારીઓ તેમના કામધંધા બંધ રાખી, અને રામમય ઉજવણીમાં સહભાગી થશે.
ખંભાળિયાના રીટેઈલ ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશન, હોલસેલ વેપારી એસોસિએશન, કેટલ ફીડ મર્ચન્ટ એસોસિએશનના દુકાનદારો સહિતના દલાલભાઈઓ સોમવારે તેમના કામધંધા તથા લોડિંગ, અનલોડીંગ અને સેમ્પલ સહિતના કામો બંધ રાખી અને ભગવાન શ્રીરામના આ ઉજવણી પર્વમાં સંપૂર્ણપણે જોડાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech