દેશભરની સાથે ગુજરાત અને જામનગરમાં પણ કાળમુખા કોરોનાની રી-એન્ટ્રી થઇ છે, ગઇકાલે શહેરમાં એક સાથે સાત કોરોનાના પોઝીટીવ કેસ નોંધાતા દોડધામ મચી ગઇ છે, જો કે કોરોનાના નવા વેરીયન્ટ જેએન-૧ ના સંક્રમણની તીવ્રતા ઓછી છે, પરંતુ સાવચેતી જરી હોવાનું જી.જી. હોસ્પિટલના કોરોનાના નોડલ ઓફિસર અને અધિક ડીન ડો. એસ.એસ. ચેટર્જીએ જણાવ્યું હતું, કોરોનાના નવા સબ વેરીયન્ટથી ગભરાવવાની જરૂર નથી, શરદી, ઉધરસ, તાવ, સામાન્ય કફ, કોરોનાના નવા સબ વેરીયન્ટના લક્ષણો છે. કોરોના વકરતા ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું અને માસ્ક પહેરવું હિતાવહ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યની સાથે જામનગરમાં પણ કોરોનાની રી-એન્ટ્રી થઇ છે. સોમવારે મોડી સાંજે શહેરમાં કોરોનાના એક સાથે સાત પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ હતી તો શહેરીજનોમાં પણ ચિંતાની લાગણી ફેલાઇ છે. ખાસ કરીને કોરોનો નવો વેરીયન્ટ જેએન-૧ ના કારણે લોકોમાં ભયની લાગણી પ્રસરી છે, ત્યારે કોરોનાના ઓમીક્રોનના નવા સબ વેરીયન્ટ જેએન-૧ અંગે જી.જી. હોસ્પિટલના અધિક ડીન અને કોરોનાના નોડલ ઓફિસર ડો. એસ.એસ.ચેટર્જીએ જણાવ્યું હતું કે, કોરોનાના નવા સબ વેરીયન્ટની ફેલાવવાની તીવ્રતા અગાઉના વેરીયન્ટ કરતા ઓછી છે, આટલું જ નહીં નવા સબ વેરીયન્ટમાં મૃત્યુનું પ્રમાણ પણ તદ્દન ઓછું છે, આથી ગભરાવવાની જરૂર નથી, કોરોનાના નવા સબ વેરીયન્ટમાં શરદી, ઉધરસ, તાવ, સામાન્ય કફ લક્ષણો છે.
આથી જો આ લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવો. કોરોનાના નવા સબ વેરીયન્ટની ફેલાવવાની તીવ્રતા ઓછી છે, આમ છતાં ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું અને માસ્ક પહેરવું હિતાવહ છે. જો કે એન-૯૫ માસ્કને બદલે સાદુ માસ્ક પહેરી શકાય. કોરોનાના કેસ વધતા માસ્ક પહેરવું આરોગ્ય માટે જરૂરી છે.
કોરોનાના બે દિવસમાં એકટીવ કેસ વધીને દશ થયા છે જે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ છે જો કે દશ એકટીવ કેસમાંથી છ દર્દીઓની ટ્રાવેલ્સ હિસ્ટ્રી નોંધાઇ છે, જયારે અન્ય ચાર દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નોંધાઇ નથી, જે કોરોનાના ફેલાવાનું પ્રમાણ દર્શાવે છે