7થી 15 વર્ષના બાળકો માટે ત્રણ સ્થળે નિઃશુલ્ક યોગ શિબિર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દેવભૂમિ દ્વારકામાં ત્રણ સ્થળે સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 16 મેથી 30 મે 2025 સુધી ચાલશે. યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપુતના માર્ગદર્શન હેઠળ રાજ્યના 33 જિલ્લાઓમાં કુલ 200 જેટલા કેમ્પનું આયોજન થયું છે.
દેવભૂમિ દ્વારકામાં મહાજન પાંજરાપોળ ભાણવડ, ડી.એન.પી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારકા અને ડી.એસ.સી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ વરવાળા ખાતે કેમ્પ યોજાશે. દરેક કેમ્પમાં 100 બાળકો ભાગ લઈ શકશે. 7થી 15 વર્ષના બાળકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે.
જિલ્લા યોગ કોર્ડીનેટર સન્નીભાઈ પુરોહિત અને યોગ પ્રચારક ધનાભા જડિયાના નેતૃત્વમાં વિવિધ ટીમો કેમ્પનું સંચાલન કરશે. ભાણવડમાં લખનભાઈ વારોતરીયા, અલ્પાબેન પંડ્યા અને અશ્વિનભાઈ મહેતા, ડી.એન.પીમાં પન્નાબેન દાસાણી, આરતીબેન જોશી અને આયુષી દંગી તેમજ ડી.એસ.સીમાં ભક્તિબેન મજીઠીયા, ધૃતિબેન પુરોહિત અને જાનકીબેન ભટ્ટ કાર્યરત રહેશે.
વધુ માહિતી માટે સન્નીભાઈ પુરોહિત (9825978822) અથવા ધનાભા જડિયા (9924266956)નો સંપર્ક કરી શકાય છે. રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.