ધર્મગુરૂ દલાઈ લામાની સુરક્ષામાં વધારો, કેન્દ્રએ તેમને Z શ્રેણીની આપી સુરક્ષા

  • February 13, 2025 08:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી સુરક્ષા વ્યવસ્થા અનુસાર દલાઈ લામા પાસે હવે કુલ 33 સુરક્ષા કર્મચારીઓ હશે, જેમાં 12 કમાન્ડો અને 6 પીએસઓનો સમાવેશ થાય છે. તેમની સુરક્ષા અંગે ગૃહ મંત્રાલયને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો.


કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બૌદ્ધ ધાર્મિક ગુરૂ દલાઈ લામાને Z શ્રેણીની સુરક્ષા આપી છે. ગુપ્તચર વિભાગે દલાઈ લામાની સુરક્ષા અંગે ગૃહ મંત્રાલયને એક રિપોર્ટ સુપરત કર્યો હતો, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત, દલાઈ લામાને હવે કુલ 33 સુરક્ષા કર્મચારીઓ મળશે, જેમાં 12 કમાન્ડો અને 6 પીએસઓનો સમાવેશ થાય છે, જે તેમને 24 કલાક સુરક્ષા પૂરી પાડશે. સુરક્ષા કર્મચારીઓમાં 10 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડનો સમાવેશ થશે જે તેમના નિવાસસ્થાને હાજર રહેશે.


ગુપ્તચર અહેવાલોમાં ધમકીનો ઉલ્લેખ

દલાઈ લામાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાલીમ પામેલા ડ્રાઇવરો અને સર્વેલન્સ સ્ટાફ હંમેશા ફરજ પર રહેશે. ઉપરાંત 12 કમાન્ડો તેમને ત્રણ શિફ્ટમાં સુરક્ષા પૂરી પાડશે. ચીન સામે નિષ્ફળ બળવો કર્યા પછી દલાઈ લામા ૧૯૫૯માં ભારત આવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી ગુપ્તચર અહેવાલો દર્શાવે છે કે દલાઈ લામાના જીવનને ચીન સમર્થિત તત્વો સહિત વિવિધ સંસ્થાઓ તરફથી સંભવિત જોખમો હોઈ શકે છે, જેના કારણે ભારતીય અધિકારીઓ માટે તેમની સુરક્ષા ટોચની પ્રાથમિકતા બની ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application