પોરબંદરમાં જિલ્લાકલેકટરના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવના આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી જેમાં એવુ જાહેર થયુ હતુ કે બાલવાટિકામાં ૩૮૯૭, પહેલા ધોરણમાં ૬,૧૪૦ અને નવમા ધોરણમાં ૩૨૬૦ છાત્રોનું નામાંકન થશે.
પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત આયોજન અંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે બેઠક મળી હતી. આગામી તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન પોરબંદર જિલ્લાના વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની કાર્યક્રમ કરવામાં આવશે.
કલેકટરે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત જિલ્લાના શીર્ષ અધિકારીઓની શાળાઓમાં પ્રવેશોત્સવ માટે નિમણુંક કરવા અને વૃક્ષારોપણ સહિતનાં શાળાઓમાં પ્રવેશોત્સવનું સુચા આયોજન સુનિશ્ર્ચિત કરવા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લામાં ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અંતર્ગત પોરબંદર જિલ્લામાં બાલવાટિકામાં આશરે ૩,૮૯૭, ધોરણ ૧ માં આશરે ૬,૧૪૦ અને ધોરણ - ૯ માં આશરે ૩,૨૬૦ નવા વિદ્યાર્થીઓના નામાંકન કરવામાં આવશે અને નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે પાત્ર તમામ બાળકોને આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧, ૯ અને ૧૧માં નામાંકન થાય તે માટે ટીમવર્કથી પ્રયાસો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને એવી વસાહતો કે વિસ્તારો જ્યાં દીકરીઓનું નામાંકન ઘટતું હોય ત્યાં વધુ દિકરીઓનું નામાંકન થાય તે માટેની પણ સઘન કામગીરી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે,ગાંધીનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ની બ્રીફિંગમાં ઓનલાઈન માધ્યમથી જિલ્લા કલેકટર સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ જોડાઈને માર્ગદર્શન મેળવવું હતું.દ આ બેઠકમાં જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી, નાયબ વનસંરક્ષક પ્રસાદ રવી રાધાકૃષ્ણા, ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંદિપભાઈ સોની, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, બી.આર.સી.ઓ સહિતનાં સબંધિત વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ એરપોર્ટ બંધ થવાથી મુસાફરો પરેશાન, રેલવેએ આ બે શહેરો માટે ખાસ ટ્રેનો શરૂ કરી
June 12, 2025 09:52 PMઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech