દ્વારકાના સૂર્યનારાયણ દેવ-રાંદલ માતાજીના મંદિરે ધાર્મિક આયોજન

  • May 19, 2025 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

આંબા મનોરથ અને સત્યનારાયણની કથામાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ

દ્વારકાના કકલાસ કુંડ પાસે સ્થિત પ્રાચીન શ્રી સૂર્યનારાયણદેવ અને શ્રી રાંદલ માતાજીના મંદિરે આજે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું. મંદિર પરિસરમાં આંબા મનોરથની સાથે સત્યનારાયણ ભગવાનના મંદિરમાં કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રાચીન મંદિર રાંદલ માતાજી અને ભગવાન સૂર્યને સમર્પિત છે. અહીં દરરોજ યાત્રિકોની સારી એવી સંખ્યા જોવા મળે છે. આજે આંબા મનોરથ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. દરમ્યાન સાંજના સમયે યોજાયેલી ભગવાન સત્યનારાયણની કથામાં વિશેષ રૂપે મહિલા ભક્તોની હાજરી નોંધપાત્ર રહી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભક્તો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application