જામનગરમાં છેલ્લા બે દિવસથી કોર્પોરેશનની નોટીસ બાદ દબાણો દૂર થતાં રાહત

  • May 19, 2025 10:33 AM 

જામનગરમાં ભુજીયા કોઠા નજીકની દુકાનના ઉપરના ભાગનું બાંધકામ સ્વેચ્છાએ દૂર કરતાં દુકાનદારો


જામનગરમાં ભૂજીયા કોઠાનું રેસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. જેમાં કોઠાની દિવાલ સંલગ્ન દુકાનોની છત ઉપરનાં બાંધકામ સહિતનાં અવરોધો દૂર કરવાની કવાયત દરમ્યાન મહાનગરપાલિકા તંત્ર દ્વારા દુકાનદારોને નોટીસ પાઠવવામા આવી હતી. અને દુકાનના છતના ઉપરના ભાગમાં રહેલ અવરોધોને દૂર કરવા જણાવ્યું હતું. આ પછી દુકાનદારો દ્વારા એક અઠવાડિયાની મુદ્દત માંગવામાં આવી હતી. આથી દુકાનના ઉપરના ભાગનું બાંધકામ સહિતન ને દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા જણાવ્યું હતું. જેના અનુસંધાને આજે અમુક દુકાનદારો દ્વારા પોતાની દુકાનના ઉપર ના ભાગ નું બાંધકામ વગેરે ને દૂર કરવા ની  કામગીરી હાથ ધરવામાં આવી  હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application