સલાયામાં રવિવારે રઘુવંશી વિદ્યાર્થી સન્માન સમારોહ

  • May 29, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડીવાયએસપી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે

ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં રહેતા રઘુવંશી જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આગામી રવિવાર તા. 1 જૂનના રોજ રઘુવંશી વિદ્યાર્થી સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સલાયા લોહાણા મહાજનના ઉપક્રમે સલાયામાં લોહાણા મહાજન વાડી ખાતે રવિવારે સાંજે છ વાગ્યે યોજવામાં આવેલા આ સન્માન સમારોહમાં જિલ્લાના ડીવાયએસપી વિસ્મય માનસેતા ખાસ ઉપસ્થિત રહેશે.

આ આયોજનમાં રઘુવંશી જ્ઞાતિના ઉચ્ચ ટકાવારી મેળવેલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે ખંભાળિયાના સિનિયર પત્રકાર કુંજનભાઈ રાડીયા, જયસુખભાઈ મોદી, હાર્દિકભાઈ મોટાણી, કૌશલભાઈ સવજાણી અને ખુશાલભાઈ ગોકાણી સહિતના આગેવાનો, મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. 

આ સમગ્ર આયોજન માટે સલાયાના લોહાણા મહાજન સાથે જ્ઞાતિજનોની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ વિદ્યાર્થી સેવા કાર્યમાં ઉપસ્થિત રહેવા સલાયા તથા આસપાસના વિસ્તારના રઘુવંશી જ્ઞાતિજનોને લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ લાલ, ઉપપ્રમુખ અરવિંદભાઈ ભાયાણી તેમજ સેક્રેટરી વૃજલાલભાઈ બથીયા તેમજ તેમની ટીમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News