ગારિયાધારથી સાવરકુંડલા જઈ રહેલી ખાનગી બસ ગારિયાધારના લુવારા અને ફિફાદ વચ્ચે મેરામણ પુલ પર પાણીમાં ફસાતા ગ્રામજનો દ્વારા તુરંત જે. સી. બી અને ટ્રેક્ટરની મદદથી બસમાં રહેલા મહિલા સહિતના મુસાફરો અને ચાલકને બસ માંથી બહાર કાઢ્યા હતા.
ગારિયાધાર થી સાવરકુંડલા જઈ રહેલી ખાનગી બસ ફિફાદ લુવારા વચ્ચે મેરામણ પુલમાં પાણીના પુરમાં ફસાઈ હતી. બસમાં ચાલક સહિત નીતાબેન ઘનશામભાઈ, પરવેજ મહમદઅખતર,હંસાબેન મકવાણા, મેહુલભાઈ કણસાગરા, ધનશામભાઈ મકવાણા અને મુકેશ કણસાગરા વગેરે મુસાફરોના જીવ અધ્ધર થયા હતા. અને બચાવો બચાવોની બુમાબુમ કરતા લુવારા ગામના લોકો દોડી આવ્યા હતા.
અને બસમાં ફસાયેલાં તમામને જીસીબી અને ટ્રેક્ટર ની મદતથી તમામને બસ માંથી બહાર સહીસલામત રીતે બહાર કઢાયા હતા. બનાવની જાણ થતા મામલતદાર સહીત નો સટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ગ્રામજનોની સર્તકતાથી અને તાબડતોબ કામગીરી શરૂ કરતા કોઈ જાનહાની થઇ ન હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech