અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતા ગઈકાલે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે તેમની પ્રાર્થનાસભા રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાખવામાં આવી છે. જ્યાં મોટી સંખ્યામાં નેતાઓ અને લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વિજયભાઈના પત્ની અંજલીબેન રૂપાણી, પુત્ર ઋષભ અને દીકરી રાધિકાએ પણ વિજયભાઈની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પ્રાર્થના સભામાં રાજકોટના નેતાઓ, ઉદ્યાગપતિઓ સહિત મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ પાઠવવા ઉમટી પડ્યા છે. સાથે ભજનિક હેમંત ચૌહાણ, હાસ્યકલાકાર ધીરૂભાઈ સરવૈયાએ વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે.
- પરમ પૂજ્ય ગુરૂદેવ નમ્રમુનિ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા
- લોકો અને નેતાઓ અંજલિબેન રૂપાણી અને તેમના પુત્ર ઋષભને સાંત્વાના આપી રહ્યા છે.
- આર્ષ વિદ્યામંદિર પરમાત્મા સરસ્વતીજી શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા
લોકોના હૃદયમાં રાજ કરનાર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન થયા પછી ગઈકાલે તેમનો પાર્થિવ દેહ રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો. વરસતા વરસાદમાં પણ લોકોએ કલાકો સુધી રસ્તાની બંને તરફ ઊભા રહીને પોતાના નેતાના અંતિમ દર્શન કર્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સી. આર. પાટીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક પ્રધાનો ટોચના રાજકીય આગેવાનો સમાજના જુદા જુદા ક્ષેત્રના મોભીઓ અને મોટી સંખ્યામાં સામાન્ય જનતાએ અંતિમયાત્રામાં ભાગ લીધો હતો. વિજયભાઈ અમર રહોના નારા સાથે લાખો લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. અંતિમ વિદાય સમયે પોલીસ બેન્ડ દ્વારા ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
નિર્મલા કોન્વેન્ટ નજીક પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજયભાઈ રૂપાણીના નિવાસ્થાનેથી નીકળેલી આ સ્મથાન યાત્રા રામનાથ પરા સ્મશાન ઘાટે પહોંચી હતી અને ત્યાં વિજયભાઈ ના પુત્ર રૂષભે મુખાગ્ની આપી હતી. સ્મશાન ગૃહમાં મર્યાદિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech