નભોમંડળમાં દેખાતા મંગળ, ગુરુ, શુક્ર તથા શનિના ગ્રહ ઉપર અલગ-અલગ ચાર અત્યાધુનિક ટેલિસ્કોપ ગોઠવાશે
જામનગરના પ્રદર્શન મેદાનમાં મેઝિક શો ની બાજુમાં આગામી તા. ૨૪મી જાન્યુઆરી ના રોજ સાંજે ૭.૦૦ વાગ્યા થી રાત્રી ના ૯.૦૦ વાગ્યા સુધીના સમય ગાળા દરમિયાન આપણા નભોમંડળમાં રહેલા મંગળ ગ્રહ, ગુરૂ ગ્રહ, શુક્ર ગ્રહ તથા શનિ સહિતના ગ્રહો નું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિદર્શન નો કાર્યક્રમ ખગોળ મંડળ, જામનગર તથા એમ. ડી. મહેતા સાયન્સ સેન્ટર ધ્રોળ દ્વાર રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ દરમિયાન મંગળ ના ગ્રહ ની માહિતી એમડી મહેતા સાયન્સ સેન્ટર - ધ્રોળ ના સંજય પંડયા દ્વારા આપવામાં આવશે, જ્યારે ગુરૂ ગૃહ તથા શનિ ગ્રહો ની માહિતી ખગોળ મંડળ- જામનગરના કિરીટભાઈ વ્યાસ દ્વારા આપવામાં આવશે, અને શુક્ર ના ગ્રહ તથા આકાશ ના અન્ય તારાઓની માહિતી કિરીટભાઈ શાહ દ્વારા આપવામાં આવશે.
આગામી ૨૪મી તારીખ ને શુક્રવારે સાંજે ઉપરોક્ત બંને સંસ્થા દ્વારા જામનગરના પ્રદર્શન મેદાનમાં અત્યાધુનિક ટેલિસ્કોપ ગોઠવવામાં આવશે અને જુદા જુદા ચાર ગ્રહો ને અલગ અલગ ચાર ટેલિસ્કોપના માધ્યમથી નિહાળી શકાય તે માટે પ્રત્યેક ગ્રહ ઉપર એક એક ટેલિસ્કોપ મૂકવામાં આવશે, અને જે ગ્રહની તમામ ગતિવિધિઓને ટેલિસ્કોપ ના માધ્યમથી સેટ કરીને તેની પ્રત્યેક મુવમેન્ટને દર્શાવાશે.
સાથો સાથ આકાશ ગંગામાં રહેલા અન્ય તારાઓ વિશેની પણ માહિતી આપવામાં આવશે, અને તે તારાઓને ટેલિસ્કોપના માધ્યમથી દર્શાવવામાં આવશે.
આથી જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા ખગોળ પ્રેમીઓએ ઉપરોક્ત તમામ પ્લેનેટ ની પરેડ વિશેની વિશેષ જાણકારી મેળવવા માટે અને ટેલિસ્કોપના માધ્યમથી તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવા માટે આગામી તારીખ ૨૪મી જાન્યુઆરીના સાંજના ૭.૦૦ વાગ્યા થી ૯.૦૦ વાગ્યા ના સમય ગાળા દરમિયાન પ્રદર્શન મેદાનમાં ઉપસ્થિત રહેવા ઉપરોક્ત બંને સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકશ્મીરની આતંકવાદી ઘટનાનો જામનગરમાં કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે વિરોધ પ્રદર્શન
April 23, 2025 07:34 PMજામનગરમાં SOG PI નો ડુપ્લીકેટ રાઇટર ઝડપાયો, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ વિગતો આપી
April 23, 2025 07:17 PMજામનગર ABVP દ્વારા કશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાનો વિરોધ કરાયો
April 23, 2025 07:16 PMપહલગામ હુમલા સરકાર એક્શનમાં, PM આવાસ પર CCSની બેઠક શરૂ
April 23, 2025 07:12 PMજામનગરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 06:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech