હજારો મુલાકાતીઓની સુરક્ષાનો 'સળગતો' સવાલ: 'આજકાલ' નાં અહેવાલથી તંત્ર દોડતું થયું
તાજેતરમાં 'આજકાલ' માં બેટ દ્વારકામાં આવેલ 'સોને કી દ્વારકા - પાવન ધામ' માં ફાયર સેફ્ટીનો અભાવ હોય અગ્નિકાંડ થવાનાં જોખમને પગલે અહીં આવતા રોજનાં હજારો મુલાકાતીઓનાં જીવ જોખમમાં હોવા અંગે તથા ફાયર વિભાગનાં સંબંધિત અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવાની બાંહેધરી આપી હોવાની હકીકતો સાથે અહેવાલ પ્રગટ થયા પછી તંત્ર દોડતું થયુ હતુ અને ઓખા ફાયર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી.
'સોને કી દ્વારકા' માં ઇમર્જન્સી ફાયર એક્ઝીટ ન હોવાની તથા કાપડ અને પાનની દુકાનો અગ્નિકાંડની સંભાવનાઓ વાળી હોવાની તથા નિયમોનું ઉલ્લંઘન થયુ હોવા અંગેની હકીકતો ઓખા ફાયર વિભાગની સ્થળ તપામાં પ્રકાશમાં આવી છે.
સોને કી દ્વારકામાં ફાયર સેફ્ટીનાં અભાવ મુદ્દે તેનાં સંચાલકોને 7 દિવસમાં જવાબ આપવા નોટીસ પાઠવવામાં આવી છે. સંચાલકો દ્વારા વિગતે પ્રત્યુતર નહી આપવામાં આવે તો કાયદાકીય તેમજ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે એમ નોટીસમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના પછી દ્વારકાનો સુદામા સેતુ આજ સુધી બંધ છે પરંતુ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ પછી પણ સોને કી દ્વારકામાં કોઇ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નહી એ શંકાસ્પદ કહેવાય. આજકાલનાં અહેવાલ પછી આખરે તંત્ર જાગ્યું છે અને હવે કાર્યવાહી થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech