ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવસેવા સમિતિ દ્વારા સંચાલિત અત્રે જામનગર રોડ પર આવેલી એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તા. 25 ના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ દાતાઓના સહયોગથી યોજાયેલા આ આંખના કેમ્પમાં રાજકોટની જાણીતી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ તેમની ટીમ સેવાઓ આપશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને રાજકોટ ખાતે લઈ જઈને વિનામૂલ્યે ઓપરેશન પણ કરી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના નેત્ર દર્દીઓને સંસ્થાના પ્રમુખ મનુભાઈ પાબારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech