ખંભાળિયામાં રવિવારે નેત્રયજ્ઞનું આયોજન

  • May 23, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવસેવા સમિતિ દ્વારા સંચાલિત અત્રે જામનગર રોડ પર આવેલી એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તા. 25 ના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ દાતાઓના સહયોગથી યોજાયેલા આ આંખના કેમ્પમાં રાજકોટની જાણીતી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ તેમની ટીમ સેવાઓ આપશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને રાજકોટ ખાતે લઈ જઈને વિનામૂલ્યે ઓપરેશન પણ કરી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના નેત્ર દર્દીઓને સંસ્થાના પ્રમુખ મનુભાઈ પાબારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application