ખંભાળિયામાં જામનગર ધોરીમાર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તા. 9 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મૂળ ગોસા (તા. પોરબંદર)ના વતની અને હાલ યુ.કે. સ્થિત સ્વ. અમૃતબેન લીલાધરભાઈ સવજીભાઈ ચુડાસમા પરિવારના આર્થિક સહયોગથી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટની જાણીતી રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલના નિષ્ણાત તબીબો તેમજ ટેક્નીશીયનો દર્દીઓને સ્થળ તપાસીને જરૂરી સારવાર તેમજ દવાઓ આપશે. જરૂરિયાતવાળા દર્દીઓને રાજકોટ લઈ જઈ અને નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન પણ કરી આપવામાં આવશે.
આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના નેત્ર દર્દીઓને સંસ્થાના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરેલવેની મોટી સફળતા: ઋષિકેશથી કર્ણપ્રયાગ 7 કલાકને બદલે માત્ર બે કલાકમાં પહોંચી શકાશે
April 22, 2025 03:57 PMઆ ગજબ કહેવાય... પાકિસ્તાન સરકાર કરતા ભીખારીઓ અમીર, દર વર્ષે કમાય છે 42 અબજ, જાણો કેટલા ભીખારી છે
April 22, 2025 03:44 PMરાજકોટની યુવતીએ અન્ય ધર્મના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા બાદ પતિ-સાસુનો ત્રાસ
April 22, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech