દ્વારકા ખાતે આસ્થા અને પુણ્યનું ભાથું બાંધવા માટે ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે બહોળી સંખ્યામાં પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જઈ રહ્યો છે. ત્યારે પદયાત્રીઓની સેવા માટે સેવાભાવીઓ દ્વારા દ્વારકા જિલ્લામાં વિવિધ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લઈ દ્વારકા જતા પદયાત્રીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
મંત્રીએ દ્વારકા જિલ્લામાં આવેલ વિવિધ સેવા કૅમ્પો જેવા કે બહાદુરસિંહ વાઢેર દ્વારા આયોજિત સ્વામિનારાયણ અન્ન ક્ષેત્ર, એસ્સાર કંપની દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પ, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આયોજિત કેમ્પ,સેવા આનંદ કેમ્પ, દ્વારકાધીશ મિત્ર મંડળ સહિતના કૅમ્પોની મુલાકાત લઈ યાત્રાળુઓ ખબર અંતર પૂછ્યા હતા તેમજ યાત્રાળુઓને ભોજન પીરસી સેવાનો અવસર મેળવ્યાની લાગણી અનુભવી હતી.
આસ્થાના પર્વમાં ભગવાન દ્વારકાધીશ સંગ હોળી ધૂળેટીના તહેવાર ઉજવવા માટે જતા યાત્રાળુઓ પ્રદૂષણમુક્ત પર્યાવરણ મળે તેવા ઉમદા આશય સાથે રસ્તાઓ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સામાજિક અગ્રણીઓ, વિવિધ કંપનીઓ, જિલ્લા વહીવટી તંત્ર અને સ્વયંસેવકોના સહયોગથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
મંત્રી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સંચાલિત વેસ્ટ એકત્રિત કરવાના વાહનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપરાંત ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ન કરવા તેમજ પર્યાવરણ પ્રદૂષણ અંગે જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech