શ્રીનાથજીની ઝાંખી તેમજ રામધૂનનું ભવ્ય આયોજન
સલાયાના રઘુવંશી સમાજના અગ્રણી સ્વ.હરિદાસ જાદવજી મશરૂ,સ્વ.હીરાબેન હરિદાસ મશરૂ, સ્વ.પદ્માબેન હરગોવિંદભાઈ મશરૂ અને સ્વ.મહેન્દ્રભાઈ હરિદાસ મશરૂનાં સ્મરણાર્થે મશરૂ પરિવાર સલાયા લોહાણા મહાજન વાડીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 7 ફેબ્રુઆરીનાં રોજ રાત્રે 9 વાગે રામધૂન, તારીખ 8 ફેબ્રુઆરીના રોજ રાત્રીના 9 વાગ્યે શ્રીનાથજીની ઝાંખી તેમજ તારીખ 9 ફેબ્રુઆરીના રોજ રવિવારે બપોરે 1 વાગ્યે સારસ્વત મહાસ્થાન, બ્રહ્મસમાજ, રાજગોર સમાજ, સાધુ સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજનું સમૂહ જ્ઞાતિ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ તમામ ધાર્મિક પ્રસંગોમાં સલાયાનાં તમામ હિન્દુ સમાજના ભાઈઓ બહેનોએ સહપરિવાર લાભ લેવા તેમજ રવિવારના રોજ યોજેલ સમસ્ત હિન્દુ સમાજના સમૂહ જ્ઞાતિભોજનમાં મહા પ્રસાદલેવા પધારવા મશરૂ પરિવારનું ભાવ ભરેલું નિમંત્રણ છે. આ સુંદર ધાર્મિક અવસરની તૈયારીઓ જોરશોરથી ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech