જામજોધપુર પંથક તેમજ કાલાવડ પંથકના ધુનધોરાજીની સીમમાં દીપડો જોવા મળતાં ગ્રામજનોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે, ગઇકાલે સડોદરના ફૂલનાથધામ વિસ્તારમાં ત્રણ ગાયોના દીપડાએ મારણ કર્યા હતા, જેથી ખેડૂત અને માલધારી સમાજમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે વન વિભાગ દ્વારા સમગ્ર પંથકમાં દીપડા પકડવા માટે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે.
ગિરનાર અને બરડા ડુંગર બાદ જામજોધપુર તાલુકામાં પણ દીપડા જેવા વન્ય પ્રાણીઓ આટાફેરા કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે, જો કે વન વિભાગને સડોદરના ફૂલનાથ ધામના પૂજારી દ્વારા જાણ કરાતા તાકીદે પાંજરા મૂકવામાં આવ્યા છે અને દીપડા પકડવા માટે થઇને તજવીજ હાથ ધરવામાં આવી છે.
જામજોધપુરના સડોદર બાદ ધુનધોરાજી વિસ્તારમાં પણ દીપડાના પગલા થતાં વાડીએ જતાં ખેડૂતોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્રણ ગાયોના મારણ બાદ ગ્રામજનોમાં દહેશત વ્યાપી છે, સમગ્ર પંથકના ગ્રામજનો અને ખેડૂતો દ્વારા તાકીદે દીપડા પકડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationધારી : પોલીસ સ્ટેશન ખાતે મળી શાંતિ સમિતિની બેઠક
June 05, 2025 10:34 AMઆપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાનના પ્રણેતાએ કરી વૃક્ષારોપણની અપીલ
June 05, 2025 10:32 AMવિસાવાડા ગામે તંત્રના સંકલનના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં
June 05, 2025 10:30 AMસીમા પર બાંગ્લાદેશી ગુંડાઓએ કપટથી બીએસએફના જવાનનું અપહરણ કર્યું
June 05, 2025 10:24 AMયુએસમાં 12 દેશોના નાગરિકોને પ્રવેશ પર પ્રતિબંધ
June 05, 2025 10:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech