રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજે બપોરે ત્રણથી છ દરમિયાન યોજાનારી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભામાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના આપના નેતાઓ હાજરી આપનાર હોવાનું જાણવા મળે છે.
અરવિંદ કેજરીવાલ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, ટ્રેડ યુનિયન અધ્યક્ષ શિવલાલભાઈ બારસિયા અને રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી સહિતનાઓ પણ પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર માટે કેજરીવાલ હાલ સૌરાષ્ટ્રમાં છે અને આજે બપોરે રાજકોટ પહોંચ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech